એક ગધેડા અને શિયાળની વાત બધા જાણે છે. એક ચાંદની રાતમાં આ બે મિત્રો એક ખેતરમાં ઘુસ્યા. પાક તૈયાર હતો. બેઉ જણાએ ધરાઈને ખાધો. પછી ગધેડો હરખમાં આવી ગયો અને શિયાળને કહ્યું કે હવે હું થોડું ગાવા માંડું. શિયાળે કયું કે અત્યારે નહિ, પણ ગધેડો તો હઠે ચડ્યો અને કહે કે ના, હું તો ગાઇશ ! શિયાળે કહ્યું કે તો ભલે , હું જરા ખેતરની બહાર નીકળી જાઉં , પછી તારે ગાવું હોય તેટલું ગા. શિયાળ બહાર નીકળી ગયું અને ગધેડાએ એનું ગાયન શરુ કર્યું - હોં ...ચી, હોં ...ચી. અવાજ સાંભળીને ખેતરનો માલિક દોડતો આવ્યો અને દંડાથી ગધેડાને એવો પીટ્યો, એવો પીટ્યો કે તે અધમૂઓ થઈ ગયો. ખેતરની બહાર આવતાં જ પેલા શિયાળે કહ્યું કે મેં તને ગાવાનું ના કહ્યું હતું, પણ તું માન્યો જ નહિ. લે હવે ગાવાનુ ફળ ભોગવ.
આ વાત ભલે ગધેડા અને શિયાળની હોય, પણ એ આપણા જેવા સૌ સામાન્ય મનુષ્યોને લાગુ પડે છે. જીવનમાં પૂર્વ કર્મના ઉદય પ્રમાણે સુખ પણ આવે અને દુ:ખ પણ આવે. સંતો કહે છે કે આવે વખતે સમતા ભાવ રાખીને એ ભોગવી લે. તે વખતે તું ગાવાનું છોડી દે. આપણે તો સુખ વખતે હરખ પદુડા થઈ જઈએ છીએ અને હાહા..હીહી કરીએ છીએ. દુ:ખ વખતે ભાંગી પડીએ છીએ અને હાયવોય કરીએ છીએ. આ બેઉ પ્રકારનું ગાવાનું , હે જીવ ! તું છોડી દે અને સમતા ભાવ રાખીને એ સુખ-દુ:ખ ભોગવી લે એમ સંતો આપણને વારંવાર કહે છે, પણ તે વખતે આ શિખામણને ઉલંઘીને આપણે કહીએ છીએ કે ના, હું તો ગાઈશ અને પછી નવાં કરમ બાંધીને એ કરમનો દંડો પડે છે ત્યારે પસ્તાઈએ છીએ !
હવેથી આપણે આ ગધેડા જેવું તો નહી કરીએ ને ?
Thursday, March 08, 2007
Friday, March 02, 2007
સસ્તુ શું ?
સમ્રાટ શ્રેણીકે રાજદરબારીઓને પૂછ્યું, `` અનાજની સમસ્યા ઉકેલવા માટે સસ્તી ચીજ કઇ છે ?"
શિકારશોખીન એક અધિકારીએ કહ્યું, `` રાજન , માંસ સાવ સસ્તું છે. તેના માટે પૈસોય ખર્ચવો પડતો નથી અને તે ખાવાથી શરીર પણ પુષ્ટ બને છે."
અધિકારીના આ કથનને બધાએ ટેકો આપ્યો, પરંતુ અભયકુમાર ચુપ રહ્યા . દરબાર વિખરાયો. રાત પડી. પરંતુ અભયકુમાર ગામમાં પેલા અધિકારીના ઘરે ગયા. ઊંઘમાથી ઉઠાડીને કહ્યું, "સમ્રાટની તબિયત ગંભીર છે. રાજવૈધે કહ્યું છે કે કોઈ મોટા માણસના હ્રદયનું પા તોલો માંસ આપવામાં આવે તો સમ્રાટનો જીવ બચી જાય. તમે મોટા માણસ છો. મને તમારા હ્રદયનું પા તોલો માંસ આપો. હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. "
અધિકારીના ચહેરાનો રંગ ઊડી ગયો. તેણે કહ્યું , " લો હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. જે હ્રદયનું માંસ આપે તેને તમે આપી દેજો .
શિકારશોખીન એક અધિકારીએ કહ્યું, `` રાજન , માંસ સાવ સસ્તું છે. તેના માટે પૈસોય ખર્ચવો પડતો નથી અને તે ખાવાથી શરીર પણ પુષ્ટ બને છે."
અધિકારીના આ કથનને બધાએ ટેકો આપ્યો, પરંતુ અભયકુમાર ચુપ રહ્યા . દરબાર વિખરાયો. રાત પડી. પરંતુ અભયકુમાર ગામમાં પેલા અધિકારીના ઘરે ગયા. ઊંઘમાથી ઉઠાડીને કહ્યું, "સમ્રાટની તબિયત ગંભીર છે. રાજવૈધે કહ્યું છે કે કોઈ મોટા માણસના હ્રદયનું પા તોલો માંસ આપવામાં આવે તો સમ્રાટનો જીવ બચી જાય. તમે મોટા માણસ છો. મને તમારા હ્રદયનું પા તોલો માંસ આપો. હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. "
અધિકારીના ચહેરાનો રંગ ઊડી ગયો. તેણે કહ્યું , " લો હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. જે હ્રદયનું માંસ આપે તેને તમે આપી દેજો .
Subscribe to:
Comments (Atom)
