ગાંધીજી આફ્રિકાની જેલમાં હતા તે દિવસોની વાત છે। તે વખતે જેલમાં તેમની ઉપર દેખરેખ રાખવા માટે આફ્રિકાની ઝૂલુ જાતિના એક ખૂંખાર દુર્વ્યવહારી માણસની નિમણૂક કરવામાં આવી હતી। ગાંધીજી તો સહિષ્ણુતા અને સમાનતાના મહાન સાધક હતા।તેથી આ માણસના તમામ ખરાબ વ્યવહારોને તેઓ અમ્રુત માનીને પી જતા અને કદી મોઢું કટાણું કરતા નહી।
એક દિવસ આ માણસને અત્યંત ઝેરી સાપ કરડ્યો। તે માણસ ભયંકર પીડાને લીધે છટપટવા લાગ્યો। તેને જે વેદના થતી હતી તે ગાંધીજી જોઈ શક્યા નહિ। તેમણે એક ચપ્પુ વડે સાપના ડંખની જગ્યાએ કાપી નાખી અને મોં વડે ઝેર ચૂસી ચૂસીને બહાર ફેંકી દીધું।ત્યાર બાદ વનસ્પતિ ઔષધના લેપની પટ્ટી પણ ડંખની જગ્યાએ મારી દીધી। આથી તે માણસને થોડાક જ વખતમાં આરામ જણાવા લાગ્યો અને તે સાજો થઈ ગયો। ગાંધીજીના આવા સમતાપૂર્ણ વ્યવહારથી પેલા માણસનું ખરાબ અને ખૂંખાર વર્તન કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયું અને ત્યાર બાદ તે માણસ ગાંધીજીનો વિનમ્ર સેવક અને મિત્ર બની ગયો।
સમતા-વ્યવહારમાં એવી શક્તિ હોય છે કે તે દુર્જનમાં દુર્જન વ્યક્તિના દુર્વ્યવહાર અને ક્રુરતાને ગાયબ કરી નાખે છે।
Thursday, September 27, 2007
Wednesday, September 26, 2007
વેપારીનો ધર્મ
શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હીરામોતીનો વેપાર કરતા હતા. બધા વેપારીઓમાં તેઓ સૌથી વિશેષ વિશ્વાસપાત્ર વેપારી તરીકે જાણીતા થયા હતા.
એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો।
એક દિવસ ના ભાઈને વિચાર આવ્યો કે આજે આપણે પણ મોટા ભાઈની પેઠે મોતીનો વેપાર કરીએ। તેથી જે માલ પરદેશથી આવેલો એ લઈને તે બજારમાં ગયો।
ત્યાં એક દલાલને તેણે કહ્યું , " કોઈ સારા પ્રમાણિક શેઠ મને બતાવ ।"
દલાલ તેને શ્રીમદ રાજચંદ્રની દુકાને લઈ ગયો।
શ્રીમદ રાજચંદ્રએ બધો માલ બરોબર કસી જોયો અને તેની વાજબી કિંમત ગણી આપી।
પેલો નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાને ઘરે ગયો।
મોટા ભાઈ ઘરે આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી।
મોટા ભાઈએ જોયું કે નાનો ભાઈ સોદો કરવામાં છ્તરાયો તો નથી। શ્રીમદ રાજચંદ્રએ બરોબર કિંમત આંકી આપી હતી।
પરંતુ વાત એમ હતી કે જે માણસનો એ માલ હતો એનો તે જ દિવસે કાગળ આવ્યો હતો। તેમાં તેણે તાકીદથી લખ્યું હતું કે અમુક કિંમત ઉપજ્યા વગર માલ વેચશો નહી। એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ખૂબ વધારે હતી ! તે અકળાઈને બોલી ઊઠ્યો, ``અલ્યા , આ તેં શું કર્યું ? મારે તો દેવાળું જ કાઢવું પડશે !"
તે વેપારી હાંફળોફાંફળો શ્રીમદ રાજચંદ્ર પાસે દોડી ગયો। તેણે શ્રીમદ રાજચંદ્રને પેલા માણસનો કાગળ વંચાવીને કહ્યું, ``સાહેબ, મારા પર રહેમ કરો। નહી તો હું ગરીબ માણસ પાયમાલ થઈ જઈશ !"
બાજુમાં અકબંધ પડેલો માલ બતાવી શ્રીમદે કહ્યું , ``ભાઇ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ."
એમ કહીને શ્રીમદ રાજચંદ્રએ પેલા આરબને એનો માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીધા। જાણે કંઇ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો તે જતો કર્યો।
એ આરબ શ્રીમદ રાજચંદ્રને ખુદાના બંદા જેવા જ માનવા લાગ્યો।
એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો।
એક દિવસ ના ભાઈને વિચાર આવ્યો કે આજે આપણે પણ મોટા ભાઈની પેઠે મોતીનો વેપાર કરીએ। તેથી જે માલ પરદેશથી આવેલો એ લઈને તે બજારમાં ગયો।
ત્યાં એક દલાલને તેણે કહ્યું , " કોઈ સારા પ્રમાણિક શેઠ મને બતાવ ।"
દલાલ તેને શ્રીમદ રાજચંદ્રની દુકાને લઈ ગયો।
શ્રીમદ રાજચંદ્રએ બધો માલ બરોબર કસી જોયો અને તેની વાજબી કિંમત ગણી આપી।
પેલો નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાને ઘરે ગયો।
મોટા ભાઈ ઘરે આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી।
મોટા ભાઈએ જોયું કે નાનો ભાઈ સોદો કરવામાં છ્તરાયો તો નથી। શ્રીમદ રાજચંદ્રએ બરોબર કિંમત આંકી આપી હતી।
પરંતુ વાત એમ હતી કે જે માણસનો એ માલ હતો એનો તે જ દિવસે કાગળ આવ્યો હતો। તેમાં તેણે તાકીદથી લખ્યું હતું કે અમુક કિંમત ઉપજ્યા વગર માલ વેચશો નહી। એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ખૂબ વધારે હતી ! તે અકળાઈને બોલી ઊઠ્યો, ``અલ્યા , આ તેં શું કર્યું ? મારે તો દેવાળું જ કાઢવું પડશે !"
તે વેપારી હાંફળોફાંફળો શ્રીમદ રાજચંદ્ર પાસે દોડી ગયો। તેણે શ્રીમદ રાજચંદ્રને પેલા માણસનો કાગળ વંચાવીને કહ્યું, ``સાહેબ, મારા પર રહેમ કરો। નહી તો હું ગરીબ માણસ પાયમાલ થઈ જઈશ !"
બાજુમાં અકબંધ પડેલો માલ બતાવી શ્રીમદે કહ્યું , ``ભાઇ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ."
એમ કહીને શ્રીમદ રાજચંદ્રએ પેલા આરબને એનો માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીધા। જાણે કંઇ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો તે જતો કર્યો।
એ આરબ શ્રીમદ રાજચંદ્રને ખુદાના બંદા જેવા જ માનવા લાગ્યો।
Monday, September 24, 2007
તુકારામના મૌને ક્રોધીને નમાવ્યો.
સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તે સંત તુકારામની પ્રસંશા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક પણ તક તે જવા ન દે. એક દિવસ તો સંત તુકારામ સાથે ઝઘડવાનો તેને એક મોકો મળી ગયો. વાત એમ હતી કે તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઈ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઈ ગઇ. બસ પછી તો પૂછવું જ શું ? પેલો માણસ કૂદી કૂદીને તુકારામને ગાળો ભાંડવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તેમણે પેલા માણસને સામે એક પણ શબ્દ કહ્યો નહિ. તુકારામનું આવું મૌન વર્તન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને વધુ જોરથી ગાળો ભાંડવા લાગ્યો. છેવટે તે તુકારામ પર એટલો બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ જ ભોંકી દિધી. તુકારામે ક્શું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી, પણ એમ થતાં જ તેમની પીઠમાંથી લોહીના રગડા વહેવા લાગ્યા. સાંજ પડી, ભજન કીર્તનનો સમય થયો, સંત તુકારામ ભજન ગાવા બેઠા એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા જ હાજર હતા, પણ પેલો માણસ હાજર ન હતો. તરત જ તુકારામ ઊભા થઈને પેલાના ઘરે પહોંચ્યા અને બોલ્યા , "ભાઇ, મારી કંઇ ભૂલ હોય તો હું તારી માફી માંગુ છું, પણ મારી ભૂલને કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ તે ક્યાંનો ન્યાય ? ચાલ, ભજન સાંભળવા ચાલ ! મારા પરનો રોષ ઇશ્વર પર શા માટે ઠાલવે છે ?" તુકારામના આ શબ્દો સાંભળી પેલો ખૂબ શરમાયો. તે ભજનમાં આવ્યો.ભજન પૂરુ થયું એટલે તેણે તુકારામને કહ્યું , " મને માફ કરો. આપના જેવા અક્રોધી પર ક્રોધ કરીને મેં એક મોટું પાપ કર્યું છે, મને માફ કરો. મારા ક્રોધની મહિ, પરંતુ તમારા મૌન અને નમ્રતાની જીત થઈ
Subscribe to:
Comments (Atom)
