Thursday, September 27, 2007

ગાંધીજીનો સમતા - વ્યવહાર

ગાંધીજી આફ્રિકાની જેલમાં હતા તે દિવસોની વાત છે। તે વખતે જેલમાં તેમની ઉપર દેખરેખ રાખવા માટે આફ્રિકાની ઝૂલુ જાતિના એક ખૂંખાર દુર્વ્યવહારી માણસની નિમણૂક કરવામાં આવી હતી। ગાંધીજી તો સહિષ્ણુતા અને સમાનતાના મહાન સાધક હતા।તેથી આ માણસના તમામ ખરાબ વ્યવહારોને તેઓ અમ્રુત માનીને પી જતા અને કદી મોઢું કટાણું કરતા નહી।

એક દિવસ આ માણસને અત્યંત ઝેરી સાપ કરડ્યો। તે માણસ ભયંકર પીડાને લીધે છટપટવા લાગ્યો। તેને જે વેદના થતી હતી તે ગાંધીજી જોઈ શક્યા નહિ। તેમણે એક ચપ્પુ વડે સાપના ડંખની જગ્યાએ કાપી નાખી અને મોં વડે ઝેર ચૂસી ચૂસીને બહાર ફેંકી દીધું।ત્યાર બાદ વનસ્પતિ ઔષધના લેપની પટ્ટી પણ ડંખની જગ્યાએ મારી દીધી। આથી તે માણસને થોડાક જ વખતમાં આરામ જણાવા લાગ્યો અને તે સાજો થઈ ગયો। ગાંધીજીના આવા સમતાપૂર્ણ વ્યવહારથી પેલા માણસનું ખરાબ અને ખૂંખાર વર્તન કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયું અને ત્યાર બાદ તે માણસ ગાંધીજીનો વિનમ્ર સેવક અને મિત્ર બની ગયો।


સમતા-વ્યવહારમાં એવી શક્તિ હોય છે કે તે દુર્જનમાં દુર્જન વ્યક્તિના દુર્વ્યવહાર અને ક્રુરતાને ગાયબ કરી નાખે છે।

No comments: