Wednesday, September 26, 2007

વેપારીનો ધર્મ

શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હીરામોતીનો વેપાર કરતા હતા. બધા વેપારીઓમાં તેઓ સૌથી વિશેષ વિશ્વાસપાત્ર વેપારી તરીકે જાણીતા થયા હતા.

એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો।
એક દિવસ ના ભાઈને વિચાર આવ્યો કે આજે આપણે પણ મોટા ભાઈની પેઠે મોતીનો વેપાર કરીએ। તેથી જે માલ પરદેશથી આવેલો એ લઈને તે બજારમાં ગયો।

ત્યાં એક દલાલને તેણે કહ્યું , " કોઈ સારા પ્રમાણિક શેઠ મને બતાવ ।"

દલાલ તેને શ્રીમદ રાજચંદ્રની દુકાને લઈ ગયો।

શ્રીમદ રાજચંદ્રએ બધો માલ બરોબર કસી જોયો અને તેની વાજબી કિંમત ગણી આપી।
પેલો નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાને ઘરે ગયો।

મોટા ભાઈ ઘરે આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી।

મોટા ભાઈએ જોયું કે નાનો ભાઈ સોદો કરવામાં છ્તરાયો તો નથી। શ્રીમદ રાજચંદ્રએ બરોબર કિંમત આંકી આપી હતી।

પરંતુ વાત એમ હતી કે જે માણસનો એ માલ હતો એનો તે જ દિવસે કાગળ આવ્યો હતો। તેમાં તેણે તાકીદથી લખ્યું હતું કે અમુક કિંમત ઉપજ્યા વગર માલ વેચશો નહી। એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ખૂબ વધારે હતી ! તે અકળાઈને બોલી ઊઠ્યો, ``અલ્યા , આ તેં શું કર્યું ? મારે તો દેવાળું જ કાઢવું પડશે !"


તે વેપારી હાંફળોફાંફળો શ્રીમદ રાજચંદ્ર પાસે દોડી ગયો। તેણે શ્રીમદ રાજચંદ્રને પેલા માણસનો કાગળ વંચાવીને કહ્યું, ``સાહેબ, મારા પર રહેમ કરો। નહી તો હું ગરીબ માણસ પાયમાલ થઈ જઈશ !"
બાજુમાં અકબંધ પડેલો માલ બતાવી શ્રીમદે કહ્યું , ``ભાઇ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ."
એમ કહીને શ્રીમદ રાજચંદ્રએ પેલા આરબને એનો માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીધા। જાણે કંઇ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો તે જતો કર્યો।

એ આરબ શ્રીમદ રાજચંદ્રને ખુદાના બંદા જેવા જ માનવા લાગ્યો।

No comments: