Friday, March 02, 2007

સસ્તુ શું ?

સમ્રાટ શ્રેણીકે રાજદરબારીઓને પૂછ્યું, `` અનાજની સમસ્યા ઉકેલવા માટે સસ્તી ચીજ કઇ છે ?"
શિકારશોખીન એક અધિકારીએ કહ્યું, `` રાજન , માંસ સાવ સસ્તું છે. તેના માટે પૈસોય ખર્ચવો પડતો નથી અને તે ખાવાથી શરીર પણ પુષ્ટ બને છે."
અધિકારીના આ કથનને બધાએ ટેકો આપ્યો, પરંતુ અભયકુમાર ચુપ રહ્યા . દરબાર વિખરાયો. રાત પડી. પરંતુ અભયકુમાર ગામમાં પેલા અધિકારીના ઘરે ગયા. ઊંઘમાથી ઉઠાડીને કહ્યું, "સમ્રાટની તબિયત ગંભીર છે. રાજવૈધે કહ્યું છે કે કોઈ મોટા માણસના હ્રદયનું પા તોલો માંસ આપવામાં આવે તો સમ્રાટનો જીવ બચી જાય. તમે મોટા માણસ છો. મને તમારા હ્રદયનું પા તોલો માંસ આપો. હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. "
અધિકારીના ચહેરાનો રંગ ઊડી ગયો. તેણે કહ્યું , " લો હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. જે હ્રદયનું માંસ આપે તેને તમે આપી દેજો .

No comments: