સામાન્ય રીતે આ જમાનામાં, સરકાર કે અન્ય સંસ્થાઓ 58 વર્ષે આપણને નોકરેમાંથી છૂટા કરે છે અને તમે નિવ્રુત જીવન ગાળો એમ સૂચિત કરે છે।
જે મનુષ્યે ઉપરોક્ત હકીકતનો પહેલેથી વિચાર કર્યો હોય તે ખરો સમજુ કહેવાય।દીકરા-દીકરીના લગ્નની , છોકરાને લાઇનસર કરવાની કે પરીક્ષામાં સારા માર્કસ લાવવાની આગળથી તૈયારી કરીએ છીએ તેમ, નિવૃત્તિની પણ આગળથી તૈયારી કરવી જોઈએ. જો માનસિક રીતે તે માટે તૈયાર ન થયા હોઈએ, નિવૃત્તિમાં સમયનો કેવી રીતે સદુપયોગ કરીશું તેની યોજના ન કરી હોય તો જીવનમાં ખાલીપો લાગે, મૂંઝવણ થાય અને માનસિક અસંતોષ જન્મે ; જેમાંથી પોતાને ડીપ્રેશનનો અને કુટુંબીજનોને કલેશનો ભોગ બનવું પડે.
નિવૃત્તિ પછી ઠીક આવક હોય તો કમાવાની તૃષ્ણાનું નિયમન કરી પરોપકારની પ્રવૃત્તિ અને આત્મકલ્યાણ માટે સત્સંગ-ભક્તિ-તિર્થયાત્રા આદિમાં જોડાવું અને કુટુંબને જરૂરિયાત અનુસાર ઉપયોગી થવું। વિચારવાન -વિવેકી તો 35 વર્ષની ઉંમર થાય ત્યારથી જ થોડું સારૂ વાંચન , અવારનવાર સત્સંગ, મંદેર , તીર્થ કે ધર્મસ્થાનકની સેવા વગેરેમાં પ્રસંગોપાત રસ લઈ ધર્મરુચિ કેળવતો થઈ જાય છે અને નિવૃત્તિ મળતાં , સાધનામાં પદ્ધતિસર અને ચીવટથી વિશેષપણે લાગી જાય છે.
ભારતીય જીવનપદ્ધતિનું અંતિમ લક્ષ પરમાત્મદર્શન દ્વારા સાચી શાંતિ , દિવ્યજ્ઞાન અને છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે; માટે જ મહર્ષિઓએ સામાન્ય મનુષ્યને માટે ચાર આશ્રમોની વ્યવસ્થા કહી છે ; જેનાથી ક્રમશ: દિવ્ય જીવનનો વિકાસ થઈ શકે છે। મૃત્યુ આપણું અસ્તિત્વ મટાડી શકતું નથી; કારણકે આપણે અજર , અમર, આનંદધન અને દિવ્યજ્યોતિ સ્વરૂપ છીએ. આવા અચિંત્ય માહાત્મ્યવાળા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરીને આપણે મૃત્યુંજયી બનીએ.
ઉપસંહારમાં એમ કહી શકાય કે જો આપણે આ ઉંમરમાં , દુન્યવી ફરજોને ગૌણ કરીએ, યથાશક્તિ સંસ્થા , સમાજ અને રાષ્ટ્ર તરફના ઋણને અનાસક્ત ભાવે અદા કરીએ અને દેહદેવળમાં બિરાજમાન પર્માત્માના દર્શન કરવા માટે સત્સંગ -સદ્ગુણપ્રાપ્તિ અને સદવિચારોને જીવનમાં અગ્રિમતા આપીએ તો મનુષ્યભવ સફળ થાય અને સાચા અર્થમાં Retirement કાયમી બને। યથા -
યદ્ગત્વા ન નિવર્તંતે તદ્વામ પરમં મમ
Friday, October 26, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment