Thursday, August 23, 2007

આપણે સારા બનીએ

રાજા અકબર દરબાર ભરીને બેઠા હતા. તેમણે ભીંત ઉપર એક લીટી દોરી અને સભાજનોને કહ્યું કે લીટીને કાપ્યા વગર તેને ટુંકી બનાવી દો. સૌ વિચારમાં પડી ગયા કે આમ કઈ થાય ?

હાજરજવાબી બીરબલ તરફ સૌની નજર ગઈ. તેઓ ભીંત પાસે આવ્યા . બાદશાહે દોરેલી લીટીની બાજુમાં તેનાથી મોટી એક લીટી દોરી. સભાજનોને અને રાજાને જવાબ મળી ગયો. બીરબલે દોરેલી લીટીની સરખામણીમાં હવે રાજાની લીટી ટૂંકી લાગતી હતી.

આ વાત જીવનમાં લાગુ પાડીએ તો આપણું જીવન ઉદાત્ત બની જાય. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નીચે પાડવા માટે તેની ભૂલો કે મર્યાદાઓ શોધવાની જરૂર નથી , પરંતુ આપણી જાતને કે સંસ્થાને સારા કાર્યો કે ગુણોથી આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

No comments: