Thursday, June 07, 2007

દુ:ખમાં પણ શાંતિ રાખવી

ઇટાલીમાં એક પાદરી રહેતો હતો. વારંવાર અનેક મુશ્કેલીઓ આવી પડવા છતાંય તે કદી મનમાં શોક કરતો નહિ કે ચિડાતો નહિ. ક્યારેક લોકો પણ એને ગાળો દે કે ખરાબ શબ્દો કહે તોપણ તે મીઠો જવાબ આપતો યા હસી દેતો. એની આટલી શાંતી ને ધીરતા જોઇ કોઇકે પૂછ્યું , ``પાદરી , તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી ?

તેણે જવાબ આપ્યો , `` ભાઇ , હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકુ છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તે કે મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? નીચે નજર કરું છું તો થાય છે કે ઊઠવા , બેસવા ને સૂવા માટે તે વળી કેટલી જમીન જોઈએ ? મારી આજુબાજુ જોઊં છું તો બસ થાય છે કે મારા કરતાં પણ કેટલાય લોકો વધારે દુ:ખી છે . બસ , એવા વિચારો આવતાંની સાથે મારુ મન એકદમ શાંત થઈ જાય છે અને તેથી મને કોઈ પણ બાબત પર જરાયે ગુસ્સો ચડતો નથી અને ભાઈ , દુ:ખમાં ક્રોધ કરવાથી ઓછું સુખ મળી જવાનું છે ? તો પછીથી શાંતિથી દુ:ખ કેમ સહન કરવું ?

No comments: