તેણે જવાબ આપ્યો , `` ભાઇ , હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકુ છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તે એ કે મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? નીચે નજર કરું છું તો થાય છે કે ઊઠવા , બેસવા ને સૂવા માટે તે વળી કેટલી જમીન જોઈએ ? મારી આજુબાજુ જોઊં છું તો બસ થાય છે કે મારા કરતાં પણ કેટલાય લોકો વધારે દુ:ખી છે . બસ , એવા વિચારો આવતાંની સાથે જ મારુ મન એકદમ શાંત થઈ જાય છે અને તેથી મને કોઈ પણ બાબત પર જરાયે ગુસ્સો ચડતો નથી અને ભાઈ , દુ:ખમાં ક્રોધ કરવાથી ઓછું સુખ મળી જવાનું છે ? તો પછીથી શાંતિથી જ દુ:ખ કેમ સહન ન કરવું ?
Thursday, June 07, 2007
દુ:ખમાં પણ શાંતિ રાખવી
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment