2 . તમારો ઊઠવાનો સમય અને ભોજનના સમય વચ્ચે ઓછામાં ઓછો પાંચથી છ કલાકનો સમય રાખો.
3. સવારે નિયમિત ચાલવાનો, માલિસનો, વ્યાયામનો તથા શક્ય શરીર શ્રમનો નિયમ રાખવો.
4. સ્નિગ્ધ - ચરબીવાળા પદાર્થો ખાવાના ઓછા કરીને ફળો , કઠોળ , શાકભાજી વગેરે તથા લીંબુ જેવા પાચકમાં મદદરૂપ પદાર્થોને લેવાનું રાખો.
5. સફરજન , ચીકું , નારંગી તથા કાજુ જેવા ફળો યોગ્ય માત્રામાં માફક હોય તો અવશ્ય લેવા જોઇએ .
6. સાંજનું ભોજન પચવામાં હલકું હોવુ જોઈએ , જેમાં ખીચડી - થૂલી વગેરેને સ્થાન આપો.
7. જમ્યા પછી આરોગ્યને હાનિકારક વ્યસનોનાં સેવન કરવા કરતાં અજમો, સૂવા , વરિયાળી જેવા દ્રવ્યોનો મુખવાસ તરીકે ઉપયોગ કરવો. કબજિયાત થાય અને રેચક દવા લેવી પડે એના કરતાં કબજિયાત થાય નહિ તેવું કરો. અઠવાડિયે પંદર દિવસે એકાદ ઉપવાસ કરો . ચા લેવી પડે તો પણ પૂરતી જ લેવી.
કોઇ પણ વ્યક્તિ ધારે તો આ નિયમોનો જીવનમાં અમલ કરી સામન્ય બીમારીઓથી બચી શકશે.

No comments:
Post a Comment