1. સાદો , સાત્વિક અને પૌષ્ટિક ખોરાક પસંદ કરો.
2 . ટાપટીપ અને ક્રુત્રિમ હાવભાવનો ત્યાગ કરો.
3 . જીવનમા શુધ્ધ શાકાહારને અપનાવો અને બીડી જેવા વ્યસનોથી સદા મુક્ત રહો.
4 . માત્ર પુસ્તકીયા માહિતીને માથામાં ભરવા કરતાં માનવતાના મીઠા અનુભવોથી મગજને હંમેશા તરબોળ રાખી તાજું રાખ્યા કરો.
5 . મહિલામાત્રમાં વાત્સલ્યમયી અમે અમીભરી માત્રુશક્તિને નીરખવા મથો અથવા નેત્રોને નીચાં ઢાળી ચાલવાની સુટેવ પાડો .
6 . હલકું સાહિત્ય વાંચવા કરતાં સારા ગ્રુહસ્થાશ્રમી બનવા શાસ્ત્રો વાંચો અને વિવેક કરી નાની - મોટી ભૂલ માત્રથી સાવધાન થાઓ .
શ્રી સંતબાલજી

No comments:
Post a Comment