Thursday, May 24, 2007

જ્ઞાનીને મરણનો ભય શાનો ?


શ્રી પંડિત ટોડરમલજીની અનોખી વિદ્વતાથી કેટલાક લોકો ઇર્ષ્યાગ્નિમાં બળતા હતા , કારણ કે જયપુરના મહારાજા પાસે એમની ખૂબ પ્રતિષ્ઠા હતી . તેથી કેટલાક દ્વેશી પંડિતોએ ષડયંત્ર રચીને પોતાના ધર્મ - અપમાનનો એમના પર આરોપ ઠોકી બેસાડ્યો . જયપુરના મહારાજાએ પણ સાંપ્રદાયિક્તાને વશ થઈને એમને હાથીના પગ નીચે કચડી નાખવાનો મ્રુત્યુદંડ જાહેર કર્યો . નિર્દોષ પંડિતજીને મદોન્મત્ત હાથીની સામે બેસાડી દીધા . જ્યારે મહાવત હાથીને આગળ ધપાવવા ઇચ્છતો ત્યારે હાથી પગ તો ઉઠાવતો , પરંતુ એમના પર પગ નો`તો મૂકતો . મહાવતના મારથી હાથી લોહીલુહાણ થઈ ચિચિયારી પાડતો હતો . જોઇને પંડિત ટોડરમલજીએ હાથીને કહ્યું , `` ગજરાજ ! શું કરી રહ્યા છો ? શું ન્યાય તમારા હાથમાં છે ? તમે તમારું કર્તવ્યપાલન કરો . આટલું સાંભળી હાથીએ તેમના પેટ પર પગ મૂકી દીધો અને એમનું પ્રણપંખેરુ ઉડી ગયું.

No comments: