Wednesday, May 23, 2007

જીવનના રંગ


કલમની
ખોળે માથું મૂકીને સતત સાહિત્યોપાસના કરનાર કવિ નર્મદના ઘરમાં એવા દિવસો આવી પહોંચ્યા કે ઘરમાં પેટ પૂરતું ખાવા અનાજ પણ હોય નહી .

નર્મદ તો લખવામાં મસ્ત ! ઘરનું ગાડું કેમ ચાલે છે તેની એમને કોઈ ચિંતાજ નહી ! ઘરનો બધો વ્યવહાર એમનો રસોઇયો નરભેરામ ચલાવતો હતો .

એક વાર કવિ નર્મદ કશુંક લખી રહ્યા હતા , લખતાં લખતાં ખાવાનો સમય થયો , એટલે લખવાનું પડતું મૂકી રસોડામાં આવ્યા . નરભેરામને કહેવા લાગ્યા , `` નરભેરામ ! બોલો ! આજે રસોઇમાં શું રાંધ્યું છે ?

નરભેરામે જવાબ આપવાને બદલે મોઢું નીચું કરી દિધું !

જોઇને કવિએ પૂછ્યું , `` તું જવાબ આપવાને બદલે નીચું કેમ જોવે છે ?

નરભેરામે પોતાનું મોઢું ઊંચુ કર્યું . તેની આંખો આંસુથી ઉભરાઇ હતી . તે બોલ્યો , `` ઘરમાં આજે અનાજનો એક દાણો નથી . `` તો એમ વાત છે ! `` હા ! આપણી સંપત્તિ ગણો કે મિલકત ગણો , તે પાવલી છે !

`` વાહ ! પાવલી તો છે ને ? જા , બજારમાં જઇને પાવલીનું જે કાંઇ આવે તે ખાવાનું લઇ આવ .

નરભેરામ બજારમાં ગયો અને બે આનાનું દૂધ અને બે આનાના પૌંઆ લઇ આવ્યો.

દૂધપૌંઆ આરોગતા આરોગતા નર્મદે નરભેરામને કહ્યું , `` આને પણ જીવનનો એક રંગ જાણ ! કુદરત આપણને જીવનના બતાવે તે જોવા જોઈએ . એમાં કદી હતાશ થવું ઘટે ! મોજથી કપરાં સંજોગોને પણ વધાવી લેવા જોઈએ .

દૂધપૌંઆ આરોગીને વળી પાછું નર્મદે લખવાનું શરૂ કર્યું .

No comments: