Wednesday, December 13, 2006

ના , મારો આત્મા ડંખે

મેડીકલ કોલેજના વિધ્યાર્થીઓને પ્રોફેસર પ્રેક્ટીકલમાં અમુક દરદીઓને તપાસી જઈને પછીના ક્લાસમાં એનો રીપોર્ટ આપવાનું કહે છે. બધા વિધ્યાર્થીઓ હા પાડે અને પ્રોફેસર પૂછે ત્યારે કહે કે તમે કહ્યા એટલા બધા દર્દીઓ અમે તપાસી લીધા,
આવા એક ક્લાસમાં અમુક સંખ્યાના દર્દીઓને તપાસવા પ્રોફેસરે કહ્યુ. પાછળથી વિધ્યાર્થીઓએ અંદર અંદર ચર્ચા કરી કે આટલા બધા દર્દીઓને એકીસાથે થોડા તપાસાય ? પણ પછી બધાએ નક્કી કર્યુ કે ભલેને થોડા દરદીઓ તપાસાય. પ્રોફેસરને એમ કહેવામાં શો વાંધો છે કે અમે તો બધા દરદીઓ તપાસી લીધા. પ્રોફેસર થોડા જોવા આવવાના છે ! પણ આમાં એક વિધ્યાર્થીએ કહ્યું કે તમે બધા ભલે એમ કહો , મારાથી એવું નહિ કહેવાય, મારો આત્મા મને ડંખે, મેં તો જેટલા દરદી તપાસ્યા હશે તેટલા જ કહીશ. પ્રોફેસરને જે શિક્ષા કરવી હોય તે કરે. અને ખરેખર , આ વિધ્યાર્થીએ પ્રોફેસરને એ પ્રમાણે જ કહ્યુ. પ્રોફેસરે પણ આ વિધ્યાર્થીના સત્યવક્તાપણાની કદર કરી .
આ વિધ્યાર્થી હતા ડો. મુકુંદ સોનેજી - અત્યારે પૂજ્ય આત્માનંદજીને નામે આપણે જેને ઓળખીએ છીએ તે.
પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત ખરેખર અનુભવો ઊપરથી જ પડી હશે ને !

No comments: