Friday, December 15, 2006

બીજાની ભૂલને ભૂલતાં શીખો

ડૉક્ટર હોરી લીકનન અમેરિકન માનસશાસ્ત્રી. તેમની પાસે એક મહિલા દર્દી ફરીયાદ લઈને આવી કે મારા પતિની હું ખૂબ સેવા કરું છું અને પતિને પરમેશ્વર તરીકે ગણું છું, છતાં પતિને મારા પ્રત્યે કોઈ લાગણી નથી.
ડૉક્ટરે પૂછરપરછ કરી જાણી લિધું કે પતિ કોઈ વ્યસની કે આઊટલાઈનનો નથી,તે સદગ્રુહસ્થ જેવો લાગે છે, તેથી તેણે તારણ કાઢ્યું કે પત્નીના વર્તનમાં -વાણીમાં ક્યાંક ખામી હશે.
તેમણે પૂછ્યું ,"તમારા પતિથી ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે તમે કેવો પ્રત્યાઘાત આપો છો ?" તેણે કહ્યું, " આ તો હું છું તે તને નભાવી લઉં છું, બીજુ કોઈ આવું ન ચલાવે."
ડૉક્ટર : બહેન, તમારું બાકીનું બધું વર્તન બરાબર છે, માત્ર સુધારો એટલો કરવાનો કે તમારા પતિથી ભૂલ થાય ત્યારે 'હશે કોએ વાંધો નહી . માણસ માત્ર ભૂલને પાત્ર' એમ બોલવું ને તમારી ભૂલ થાય ત્યારે ' આ તો તમે છો તે મને નભાવી લો છો બીજો કોઈ હોત તો મને ક્યારની કાઢી મૂકી હોત ' આવું બોલજો. મહિના પછી મળજો."
પેલી બાઈએ આ પ્રયોગ ચાલુ કર્યો અને એક સપ્તાહમાં એનુ આશ્ચર્યજનક પરિણામ આવવા માંડ્યું.ડોકટર પાસે આવી તેણે
હર્ષથી કહ્યું, " સાહેબ તમારી સલાહથી મારા પતિનું વર્તન મારા પ્રત્યે અત્યંત લાગણીસભર બની ગયું.
બીજાની ભૂલ કાઢવાની કુટેવો છોડવા જેવી છે. જો ભૂલ કરનાર પ્રત્યે આત્મીયતા હશે તો ભૂલ ભૂલી શકાશે.

No comments: