1 પોતાનું કાર્ય સાચી સમજણપુર્વક,સત્યનિષ્ઠાથી કરો.
2 આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જાવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
3 જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન હલ થઈ જશે.
4 સંપત્તિનું જતન કરો છે તેટલું જ જતન સંસ્કારિત બનાવવા માટે કરજો.
5 ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો.
6 સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો.
7 તમારે વાણી ધીમી,સાચી,મીઠી,ખપપૂરતી અને આદર દેવાવાળી રાખજો.
8 જીવનમાં પ્રભુ પર અતુટ વિશ્વાસ રાખો.તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો.
9 ઉત્તમ અને અધિક્રુત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો.
10 શ્રધ્ધા , ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો.
11 ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો.
12 પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો,જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.
Thursday, December 14, 2006
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment