Thursday, December 14, 2006

જીવનની ઉન્નતિના બાર મહામંત્રો

1 પોતાનું કાર્ય સાચી સમજણપુર્વક,સત્યનિષ્ઠાથી કરો.
2 આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જાવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
3 જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન હલ થઈ જશે.
4 સંપત્તિનું જતન કરો છે તેટલું જ જતન સંસ્કારિત બનાવવા માટે કરજો.
5 ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો.
6 સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો.
7 તમારે વાણી ધીમી,સાચી,મીઠી,ખપપૂરતી અને આદર દેવાવાળી રાખજો.
8 જીવનમાં પ્રભુ પર અતુટ વિશ્વાસ રાખો.તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો.
9 ઉત્તમ અને અધિક્રુત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો.
10 શ્રધ્ધા , ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો.
11 ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો.
12 પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો,જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.

No comments: