Tuesday, December 19, 2006

પ્રભુપ્રાપ્તિનો માર્ગ

છત્રપતિ વીર શિવાજીએ પોતાના ગુરુ સિધ્ધ મહાત્મા સ્વામી રામદાસને કહ્યું, “ગુરુદેવ , આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કરેલો છે અને હવે આપના આશ્રમમાં આપ દિનરાત ઘણા કલાકો ધ્યાનમગ્ન રહીને પ્રભુના સંપર્કમાં રહી શકો છો. પણ આપ જાણો છો કે મારે યવનો સામે ધર્મ,સંસ્ક્રુતિ તથા માતૃભૂમિના રક્ષણ કાજે સતત કાર્યશીલ રહેવું પડે છે.મને તો પ્રભુનું ધ્યાન કરવા માટે સમય પણ રહેતો નથી. તો શું હું આ જન્મમાં પ્રભુના સાક્ષાત દર્શન નહિ કરી શકું ? “

સમર્થ સ્વામી રામદાસે જવાબ આપ્યો, “બેટા શ્રીરામ તો હાલમાં પણ હાજરાહજૂર છે. એમના પ્રત્યે અખૂટ પ્રેમ ને શ્રધ્ધા જોઈએ. બેટા સદા ખાતેપીતે જપો રામનામ. જ્યારે કોઈ વસ્તુ તું ખાવા માંડે કે કોઈ વસ્તું તુ પીવા માંડે ત્યારે , ઈષ્ટદેવ શ્રીરામના નામનું રટણ કરવા લાગ. આમ કરવાથી તારા ખાનપાન ચમત્કારિક રીતે સાત્વિક બની જશે. આવા ખાનપાનથી તારા લોહીનું રૂપાંતર તહી જશે. લોહીમાં સાત્વિકતા આવી એટલે તારં ચિત્ત દિવ્ય બની જશે. ચિત્ત જ્યારે દિવ્ય બની જશે ત્યારે તને ખુલ્લી આંખે શ્રીરામના અવશ્ય દર્શન થશે. પ્રભુપ્રાપ્તિનો આ સરળ ઉપાય છે.

બધાને પુણ્યનું ફળ ભોગવવું છે,
પણ પુણ્ય કરવું નથી. પાપના ફળથી બચવું છે,
પણ પાપ તો કરવું છે. એ કેવું?

1 comment:

અમીઝરણું... said...

આજે પ્રથમ વખત આપના બ્લોગ પર આવી ચડ્યો , બહુ સરસ વાતો છે.

આભાર...

http://amitpisavadiya.wordpress.com