જગતમાં આદરવા યોગ્ય શું છે?
સદગુરુનું વચન
શીઘ્ર કરવા યોગ્ય શું છે?
કર્મનો નિગ્રહ
મોક્ષતરુનું બીજ શું છે?
ક્રિયાસહિત સમ્યગ્જ્ઞાન
સદા ત્યાગવા યોગ્ય શું છે?
અકાર્ય કામ
સદા પવિત્ર કોણ ?
જેનું અંત:કરણ પાપરહિત હોય તે.
સદા યૌવનવંત કોણ ?
ઈચ્છાઓ
શૂરવીર કોણ ?
જે સ્ત્રીના કટાક્ષથી વિંધાય નહી તે.
મહત્તાનું મૂલ શું?
કોઈની પાસે પ્રાર્થના (યાચના ) ન કરવી તે.
સદા જાગ્રુત કોણ ?
વિવેકી
આ જગતમાં નરક જેવું દુ:ખ શું?
પરતંત્ર રહેવું તે
અસ્થિર વસ્તુ શું ?
યૌવન , લક્ષ્મી અને આયુષ્ય
આ જગતમાં અતિગહન શું છે?
સ્ત્રી ચરિત્ર અને ( તેથી ) વધારે પુરુષ ચરિત્ર
ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ ?
સુમતિ અને સજ્જન
જેને ચોર પણ લઈ જઈ શકે નહીં તેવો ખજાનો શું?
વિઘ્યા , સત્ય અને શીયળવ્રત
જીવનું સદા અનર્થ કરનાર કોણ ?
આર્ત અને રૌદ્ર ધ્યાન
અંધ કોણ ?
કામી અને રાગી
બહેરો કોણ ?
જે હિતકારી વચનને સાંભળે નહી તે
મૂંગો કોણ ?
જે અવસર આવ્યે પ્રિય વચન ન બોલી શકે તે
શલ્યને પેઠે સદા દુ:ખ દેનાર કોણ ?
છાનું કરેલું કામ
અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ?
યુવતી અને અસજ્જન
સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું?
સંસારની અસારતા
સદા પૂજનીય કોણ ?
વીતરાગદેવ, સુસાધુ અને સુધર્મ
Wednesday, December 06, 2006
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment