એક ફ્રેંચ લોકકથા છે : સત્ય અને અસત્ય નામે બે બહેનો હતી. એક દિવસે એ બંને બહેનો નદીએ નાહવા ગઈ. કપડાં ઊતારીને તેઓ નદીમાં નાહવા લાગી.
થોડી વારમાં અસત્ય બહાર નીકળી અને સત્યના કપડાં પહેરવા લાગી.
સત્ય તો હજી નાહતી જ હતી, પણ એનું ધ્યાન અસત્ય પર પડતાં તે બોલી ઉઠી , `` અરે, અસત્ય ! તું મારા કપડાં કયાં પહેરે છે ?"
પણ અસત્ય શાની સાંભળે ? એ તો કપડાં પહેરીને ત્યાંથી પલાયન થઈ ગઈ !
સત્ય બાપડી પાણીમાંથી જલદી જલદી બહાર આવી, પણ હવે શું થાય ? તેને અસત્યના કપડાં પહેરવા પડ્યા !
ત્યારથી આ દુનિયામાં આપણે જોઈએ છીએ કે માણસમાં સત્યાસત્ય પારખવાનો વિવેક ન હોય તો સત્યના વાઘા પહેરીને ફરતા અસત્યને તે સત્ય માની લે છે અને અસત્યના પોશાકમાં રહેલા ખરા સત્યને તે ઓળખી શકતો નથી !
Friday, December 22, 2006
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment